Sunday, May 28, 2023

વિરોધીઓને અણધાર્યો આંચકો અને ભાજપને છપ્પરફાડ લાભ -- વાત છે સમાજમાં એકાએક ઉપસ્થિત થયેલા "સેંગોલ" અને "ચોલા રાજવંશ"ના વાર્તાલાપની

 


જ્યારે તેમણે નવી સંસદ ભવનના ઉદ્ઘાટન અંગે વિવાદ ઉભો કર્યો ત્યારે વિરોધ પક્ષોને સહેજ પણ અંદાજ નહોતો કે તેમણે અજાણતા એવી ચાંપ દબાવી દીધી છે કે જેનાથી આખા ભારતમાં ભારતીય પુરાતન સંસ્કૃતિ, પરંપરા અને ઇતિહાસ વિશે લોકોમાં ન શમી શકે તેવો રસ જાગૃત થઈ જશે.


૨૪ કલાકથી ઓછા સમયમાં, વિસ્ફોટક ગતિથી  પ્રાચીન તમિલ ભાષાનો શબ્દ “સેંગોલ” અને પ્રાચીન તમિલ સંસ્કૃતિ આપણા દેશની જાહેર ચર્ચામાં અચાનક જ પ્રવેશી ગયા છે. ચોલ સામ્રાજ્ય, રાજ-ધર્મ, સેંગોલ (રાજ-દંડ), તેના પર સ્થાપિત શિવ ભક્ત નંદી, નંદીનો સત્ય, સચ્ચાઈ, ધૈર્ય, શાંતિ, શક્તિ, રાષ્ટ્ર પ્રત્યે વફાદારી અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત સેવાની ભાવનાનો સંદેશ, વગેરે જેવા વિષયો માટે સમાજમાં જે ઉત્સાહ ઊભો થઈ ગયો છે તે ભાજપ જેવા રાષ્ટ્રવાદી લોકોને ભલે ખૂબ ગમશે પણ તેમના વિરોધીઓ, સામ્યવાદીઓ અને તેમના જેવા સમાન વિચારધારા ધરાવતા પક્ષોને ઘણો ખટકશે. ભારતની ભોળી પ્રજાને પ્રાચીન સંસ્કૃતિથી વિમુખ કરવાના પ્રયાસ અનઅપેક્ષીત રીતે જાણે ઘરાશાયી થઈ ગયા. આવું  દુઃસ્વપ્ન તો તેમણે કદી વિચાર્યું નહીં હોય.


જાણે કે આ આંચકો પૂરતો ન હતો તેમ, ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ની રાત્રે સત્તા સ્થાનાંતરણ વખતે ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નેહરુએ પવિત્ર સેંગોલ ધારણ કર્યાના ઈતિહાસને નકારી કાઢતાં લગભગ ૨૦ જેટલા વિપક્ષીઓને કાપે તો લોહી ન નીકળે તેવી પરિસ્થિતિ ઊભી થઈ જ્યારે સંશોધનકર્તાઓએ તે કાળના  રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રેસમાં, વૃત્તપત્રોમાં વગેરેમાં પ્રસિદ્ધ થયેલા ઐતિહાસિક અહેવાલ અને ફોટોગ્રાફ્સ સમાજ સમક્ષ મુક્યા. ભારતની સામાન્ય પ્રજાએ પણ જોયું કે રાજ-દંડની વાતને તે કાળના વૃતાંતમાં સારી રીતે આવરી લેવામાં આવ્યું હતું. જવાહરલાલ નેહરુના વંશજોને જ જો આ મહત્વપૂર્ણ સત્યની જાણ સુદ્ધાં ન હોય તો તે વાત ભારે શરમજનક કહેવાય.


જો કે, હજી તો શરમના મુગટ પરની કલગીની વાત કરવાની બાકી છે. પ્રયાગરાજના જે અલ્પ-પ્રસિદ્ધ પ્રાંતીય  સંગ્રહાલયમાં સેંગોલ રાજ-દંડ રાખવામાં આવેલ ત્યાં એક કાગળ કે પુંઠાની ચબરખી પર સત્તાવાર નોંધ હતી- પં જવાહરલાલ નેહરુને ભેટમાં આપેલી "ગોલ્ડન વૉકિંગ સ્ટીક" 


સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાનને સત્તા સ્થાનાંતરિત કરવા માટે છેલ્લા બ્રિટિશ વાઇસરોય માઉન્ટબેટન દ્વારા એક સત્તાવાર સમારોહમાં, તમિલનાડુના એક પ્રાચીન મંદિરના આદરણીય વિદ્વાન સંતો દ્વારા યોગ્ય રીતે પવિત્ર કરાયેલા સેંગોલ રાજ-દંડને કોઈ ગૌણ સંગ્રહાલયમાં વર્ષો સુધી ગોંધી મૂકવામાં આવે છે અને તેને "વૉકિંગ સ્ટીક" કહેવામાં આવે છે. આવું જોઈને સાંભળીને શું દેશપ્રેમી લોકોના કાળજા ચિરાઈ ન જાય?


લાગે છે કે વિપક્ષને નૂતન-સંસદ ઉદઘાટન બહિષ્કાર કરવાનો સોદો મોંઘો પડી ગયો.


No comments:

Post a Comment